Monday, April 18, 2011

5. પડખે ને પાને લખી ને પણ રાખ્યું

પડખે ને પાને લખી ને પણ રાખ્યું 
વાંચવા પરંતુ રોકાયા નહિ 
માંગવા વગર એ મળી ગયા કોઈને 
અમને તો મળ્યા પડછાયા નહિ 

દુઃખની કોઈ વાત ઈ સમજ્હે નહિ 
હંસી ને પૂછે છે, "મીન કર્યું છે શું?"
જો હું એમ કહું કે દિલ તોડી ગયા 
અભિમાને પૂછે છે, "કે બસ આટલું ?"

વર્તન ના પાઠો શીખવાતા નથી 
માનવી નું હય્યું કોણ વાંચી શકે 
પાણી જો હોયે તો હું ચાખી ને જોઉં 
એના મન ના ભોઇરાં માં કોણ જ્હાકી શકે